Surprise Me!

રાજકોટની સૌથી ઉંચી ઈમારત ઉપર 250 ફૂટ લાંબો તિરંગો ફરકાવાયો

2022-08-13 6 Dailymotion

હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દ્વારા 13 થી 15 ઓગસ્ટ સુધી દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે દેશવાસીઓ ઘરોમાં તિરંગો લગાવી રહ્યા છે સાથે સાથે અવનવી રીતે તિરંગા યાત્રાનું આયોજન પણ કરી રહ્યા છે. તેવામાં રાજકોટ વાસીઓએ 250 ફૂટ લાંબો તિરંગો ઈમારતના 22 માં માળેથી લહેરાવીને હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરી હતી.